Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ટંકારા - મોરબી પંથકમાં ૧ વર્ષમાં અકસ્માતની ૧૭૦૪૬ દુર્ઘટનાઃ ૭૩૯૦ લોકોના મોતઃ મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ

ટંકારાઃ મોરબી-ટંકારા-૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામનારને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી. ર૦૧૯માં ૧૭૦૪૬ અકસ્માત થયા હતા. જેમાં ૭૩૯૦ લોકોના મોત નીપજયા હતા અને ૧૬ર૮પ લોકોને નાની-મોટી અને ગંભીર ઇજા થઇ હતી. શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં આરટીઓ, પોલીસ સ્ટાફ, ટ્રાફિક પોલીસ, સ્થાનિક આગેવાનો તથા ડો. આશિષ દવે ટંકારા પોલીસ ઇન્ચાર્જ ફિરોઝભાઇ, રનુભા ઝાલા, ૧૦૮ એમ્બ્યુલન્સના ભોલાભાઇ સોલંકી, સલીમ ભુંગર સહિતના જોડાયા હતા. (તસ્વીર-અહેવાલઃ હર્ષદરાય કંસારા-ટંકારા)

(11:41 am IST)