Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૧૯ ઓગસ્ટે સોમનાથ મહાદેવના દર્શન કરશે

મુખ્યમંત્રીના પ્રવાસના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

પ્રભાસ પાટણ :પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સોમનાથ મંદિરની મુલાકાત લેવાના છે. મુખ્યમંત્રી દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવશે. મુખ્યમંત્રીના સોમનાથ પ્રવાસ અંગે જિલ્લા કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં પ્રવાસના સુચારૂ આયોજન અંગે સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી માર્ગદર્શિત કર્યા હતાં

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર બી.વી.લિંબાસિયા, પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયા, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર  વિજયસિંહ ચાવડા સહિત સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

(12:03 am IST)