Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

જામનગરમાં સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શાળા સંચાલકો દ્વારા આવેદન

જામનગર : સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને શાળાઓ શરૂ કરવા માટે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જામનગરના પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા, ઉપપ્રમુખ રસિકભાઈ કોડીનારીયા, વિમલભાઈ કગથરા, દ્યનશ્યામભાઈ હિરપરા, મહામંત્રી અમિત ભાઈ ચોવટીયા અને સંયુકત મહામંત્રી ભરતભાઈ નાકરાણી ની આગેવાનીમાં સંચાલક મંડળના હોદ્દેદારો અને શાળાના સંચાલકોએ કોરોનાની મહામારી વચ્ચે રાજય સરકાર દ્વારા ધોરણ ૯ થી ૧૨ ની સરકારી શાળાઓ શરૂ થઈ છે ત્યારે ત્વરીત ખાનગી શાળાઓ શરૂ કરવા માટે માગણી કરાઈ છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી,તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:58 pm IST)