Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

વાકાંનેરના શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે ગુરૂપુર્ણિમાની સાદાઇથી ઉજવણી કરાશે

વાંકાનેર,તા. ૧૯: વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી ઐતિહાસિક પૂજય સંતશ્રી મુનીબાવાની જગ્યા 'શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર' ખાતે આગામી ગુરૂપૂર્ણિમાની ઉજવણી ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે માત્ર પૂજન કરીને સાદાઈથી ઉજવવામાં આવશે , ગુરૂપૂર્ણિમાના પાવન પુણ્યશાળી દિવ્ય અવસરે શ્રી ફળેશ્વર મંદિરના મહંત બ્રહ્મલીન પૂજય સદગુરૂદેવશ્રી રામકિશોરદાસબાપૂનું વિશેષ ગુરૂપુજન સવારે ૯:૩૦ કલાકે શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમિતિના સભ્યો , ભકતજનો દ્વારા ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે શાસ્ત્રીજીશ્રી મેહુલભાઈ મહારાજ કરાવશે. આ ઉપરાંત શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ સંતશ્રી જલારામબાપાના મંદિરમાં પણ પૂજય સંત શિરોમણીશ્રી જલારામબાપાનું વિશેષ પૂજન અર્ચનવિધિ કરવામાં આવશે. પૂજનવિધિ બાદ સદગુરૂદેવશ્રી રામકિશોરદાસજીબાપૂ તેમજ સદગુરૂદેવશ્રી જલારામબાપાની મહા આરતી ભકતજનો કરશે. વિશેષ માં હાલની પરિસ્થિતિના અનુલક્ષીને જે બપોરે મહા પ્રસાદ દર વરસે યોજાય છે જે આ વરસે બપોર ના મહા પ્રસાદ 'બંધ' રાખેલ છે સરકારની ગાઈડ લાઈન અનુસાર ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે જે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતી ના શ્રી વિશાલભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે.

(11:40 am IST)