Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

છૂટાછેડા મળી ગયા બાદ અસીલે ફી નહીં આપતા કચ્છના ગાંધીધામના વકીલે કરી પોલીસ ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : ગાંધીધામમાં છૂટાછેડાનો કેસ લડનાર વકીલે ફી બાબતે કાયદાની મદદ લેવી પડી છે.

વકીલ નરેશ જગદીશ વર્માએ આ બાબતે પોતે જેમનો કેસ લડયા હતા તે પૂજાબેન રાજેશ શર્મા, ગુનગુન શર્મા, મુકેશ શર્મા અને પૂજા શર્માની બહેન એમ ૫ જણ સામે ૧ લાખ ૫૫ હજાર રૂ. ફી નહી આપવાનું ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોધાવી છે.

પતિ સાથેના છૂટાછેડા અને ભરણપોષણ કેસનો ચુકાદો આવી ગયા બાદ નક્કી કરાયેલી ફી નહી ચૂકવી હોવાની ફરિયાદ વકીલ નરેશ વર્માએ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:08 am IST)