Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જાુનાગઢ અકિલાના પ્રેસ ફોટોગ્રાફર મુકેશ વાઘેલાનું આચાર્ય રાકેશપ્રસાદજીના હસ્‍તે સન્‍માન

જુનાગઢઃ જવાહર રોડ સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍યમંદિર ખાતે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્‍થિતિમાં પાટોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. દરમ્‍યાન અકિલા દૈનિકના માધ્‍યમથી કાર્યક્રમનો પ્રચાર અને પ્રસાર કરવા બદલ અને વિવિધ પ્રસંગોને કેમેરામાં કંડારવા બદલ જામનગર જિલ્લાના અકિલાના પ્રેસ ફોટોગ્રાફર મુકેશભાઇ વાઘેલાનું આચાર્યશ્રીએ સન્‍માન કરી આશિર્વાદ આપ્‍યા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે. આ તકે મંદિરના કોઠારી પ્રેમ સ્‍વરૂપદાસજી (નવાગઢવાળા) તથા પી. પી. સ્‍વામી ઉપસ્‍થિત રહ્યા હતા.  (તસ્‍વીર-અહેવાલ-વિનુ જોષી જુનાગઢ)

(1:16 pm IST)