Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

દેવભૂમિ જિલ્લામાં ગ્રામ્‍ય પંથકમાં વધતું મૃત્‍યુનું પ્રમાણઃ મોટા ગામમાં રોજ એકાદું મોત!!!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ વ્‍યાપક થતાં ગ્રામ્‍ય પંથકમાં મૃત્‍યુનું પ્રમાણ વધતું જાય છે રોજ બે-ત્રણ મૃત્‍યુ નોંધના દાખલા કાઢવા પડે તેવી સ્‍થિતિ થાય છે જેમાંથી મોટા ભાગના કોરોના પોઝીટીવ દર્દી હોવાનું પણ કહેવાય છે.

ખંભાળિયા નજીકના હમદપુરમાં ચાર દિવસમાં પાંચ વ્‍યકિતના મોત નિપજયા છે. તો કલ્‍યાણપુર તાલુકાના મોટા ગામોમાં રોજ એકાદ-બે વ્‍યકિત મરી રહ્યા છે જે મોટા ભાગના કોરોનાના દર્દી જ હોય છે જેમાંના ૯પ% તો હોસ્‍પિટલ સુધી પણ પહોંચતા નથી.

ગઇકાલે ભાણવડના બે દર્દી જામનગરમાં સારવારમાં મૃત્‍યુ પામ્‍યા તથા ભાણવડ શહેર તથા ગ્રામ્‍યમાં બીજા ચાર મૃત્‍યુ પામ્‍યા હતા.

 

 

(1:45 pm IST)