Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

વેકિસનનો બીજો ડોઝ લેતા પૂર્વ મંત્રી જશાભાઇ બારડ

 સુત્રાપાડાઃ કોરોના મહામારી સામે ભારતીય વેકિસન કારગર સાબિત થઇ રહયું છે. માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વેકિસન ટીકા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા આજે ગુજરાત રાજયના પૂર્વ મંત્રી જશાભાઇ બારડે વેકિસનનો બીજો ડોઝ લીધેલ. વેકિસનના પ્રથમ ડોઝ વખતે પણ તેઓને કોઇ પણ જાતની મુશ્કેલી પડેલ ન હતી. વેકિસનના બીજા ડોઝ લગાવીને તેઓએ અન્ય તમામ લોકો જેઓ ૪૫ વર્ષથી ઉપરના છે તેઓ વેકિસન  લગાવીને તેઓએ જરૂરથી લગાવે અને કોરોના સામે એકમાત્ર વેકિસન જ ઉપાય છે તેઓ સંદેશ પાઠવેલ ઉપરાંત હાલ કોરોનાના કેસો વધતાં હોય લોકોને સોસિયલ ડિસ્ટેન્સ રાખવા, માસ્ક પહેરવા, હાથ વારંવાર ધોવા તેમજ કામ સિવાય ઘરની બહાર ના નિકળવા માટે પણ કહેલ હતું.(તસ્વીર-અહેવાલઃ રામસિંહ મોરીઃ સુત્રાપાડા)

(12:14 pm IST)