Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

બીલખાના બંધાળામાં અજાણ્યા શખ્સોએ રૂ. દોઢ લાખનું જીરૂ સળગાવી મારતા ચકચાર

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૭ :. બીલખાના બંધાળામાં અજાણ્યા શખ્સોએ રૂ. દોઢ લાખનું જીરૂ સળગાવી મારતા ચકચાર વ્યાપી ગઈ છે.

જૂનાગઢ જિલ્લાના બીલખા નજીકના બંધાળા ગામના વલ્લભ ઘુસાભાઈ ગોંડલીયા નામના પટેલના ખેતરમાં અજાણ્યા શખ્સો પ્રવેશી જીરૂને આગ ચાંપી દીધી હતી. જેના કારણે જીરૂ સ્વાહા થઈ જતા રૂ. દોઢ લાખનું આર્થિક નુકશાન થયુ હતું.

ખેડૂતે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.(૨-૧૪)

(1:46 pm IST)