Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

આટકોટ સ્વામિનારાયણ મંદિરે આજથી ત્રિદિવસીય સુખડી ઉત્સવ

 આટકોટ, તા. ૧૭ :. શ્રી સ્વામિનારાયણ મંદિર આટકોટ આયોજીત સુખડી ઉત્સવ તા. ૧૭ થી ૧૯ દરમિયાન રાત્રીના ૮ થી ૧૧ યોજાશે.

વકતા પદે પ.પૂ. સ્વામી સંતદાસજી બિરાજમાન થઈ કથા વાર્તાનો લાભ આપશે.

ઉત્સવની પોથી યાત્રા તા. ૧૭-૨-૧૮ના રોજ સાંજે ૫ વાગ્યે ખોખરીયા શેરીમાંથી નિકળીને સ્વામિનારાયણ મંદિરે જશે.

તા. ૧૯-૨-૧૮ના રોજ સવારે ૧૦ વાગ્યે બુંઢણપરી નદીના કાંઠે પ્રસાદીની વાડીમાં સર્વે ભકતોને પ્રસાદ લેવા આમંત્રણ પાઠવાયું છે.

આ ઉત્સવના કારણે આટકોટ સત્સંગ સમાજમાં ઉત્સાહ છવાયો છે. ભાવિકોને સ્વામિનારાયણ મંદિર આટકોટ ખાતે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.(૨-૨)

(12:05 pm IST)