Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

આપાગીગા ઓટલાના મહંત પૂ. નરેન્દ્રબાપુ મહામંડલેશ્વર ઘોષીત

 ઉપલેટા : સતાધાર જુદા જુદા ૧૩ અખાડા સહિત સૌરાષ્ટ્રભરની જુદી જુદી જગ્યાના સંતો મહંતોની વિશાળ હાજરીમાં યોજાયેલ ધર્મસભામાં આપાગીગા ઓટલાના પૂ. નરેન્દ્રબાપુને મહામંડલેશ્વરનું બિરૂદ અપાયું હતું. તેમના ગુરૂ પૂ. જીવરાજબાપુ, પૂ. વિજયબાપુ તથા મુકતાનંદબાપુ વિગેરે સંતોએ ખુશી વ્યકત કરેલ હતી. પૂ. નરેન્દ્રબાપુને મળેલ મહામંડલેશ્વરના મહાન બિરૂદને કડીયા સમાજના રાહબર જૂનાગઢ ગ્રીન સીટીવાળા ધીરૂભાઇ ગોહીલ, ઇગલ એસ્ટેટવાળા પ્રકાશભાઇ ચૌહાણ, ગોંડલના અશોકભાઇ રાઠોડ, જેતપુર સમાજના પ્રમુખ કિશોરભાઇ મારૂ, ઉપલેટાના નટુભાઇ રાઠોડ, રવજીભાઇ ટાંક, ડી.પી. રાઠોડ, પી.પી. ટાંક, ધર્મેશ મકવાણા, હરસુખભાઇ ટાંક, મનસુખભાઇ મકવાણા સહિતના આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવેલ છે. (અહેવાલ : જગદીશ રાઠોડ, તસ્વીર : ભોલુ રાઠોડ-ઉપલેટા)

(12:04 pm IST)