Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

લીંબડી-બગોદરા વચ્ચે કાર અકસ્માતમાં ન્યુ સાગરના વણિક પ્રોૈઢ રાજેશભાઇ શાહનું મોત

પત્નિ, મિત્ર, મિત્રના પત્નિ અને મિત્રના પુત્ર સાથે આગ્રા ગયા'તાઃ અમદાવાદથી રાજકોટ કારમાં આવતી વખતે સંક્રાંતને દિવસે અકસ્માત નડ્યો હતોઃ સારવારમાં આજે દમ તોડ્યો

રાજકોટ તા.૧૯: લીંબડી બગોદરા વચ્ચેના રસ્તા પર સંક્રાંતના દિવસે બંધ ઉભેલા ટ્રક પાછળ કાર અથડાતાં રાજકોટનાં વણિક પ્રોૈઢ, તેમના પત્નિ, મિત્ર, મિત્રના પત્નિ અને પુત્રને ઇજાઓ થઇ હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત વણિક પ્રોૈઢનું આજે મોત નિપજ્યું છે.

બનાવની જાણવા મળેલી વિગત મુજબ  કોઠારીયા રોડ કેદારનાથ સોસાયટી પાસે ન્યુ સાગર મેઇન રોડ પર રહેતાં રાજેશભાઇ રસિકલા શાહ (ઉ.૫૬), તેમના પત્નિ ઇલાબેન, મિત્ર કલ્પેશભાઇ જૈન, મિત્રના પત્નિ અને મિત્રનો પુત્ર એમ પાંચ લોકો આગ્રા ફરવા ગયા હતાં. ૧૪મીએ ટ્રેન મારફત અમદાવાદ પહોંચ્યા બાદ ત્યાં પોતાની કાર રાખી હોઇ તેમાં બેસી રાજકોટ આવવા નીકળ્યા હતાં.

કાર રાજેશભાઇ ડ્રાઇવ કરી રહ્યા હતાં. લીંબડી-બગોદરા વચ્ચે પહોંચ્યા ત્યારે ટ્રક પાછળ કાર અથડાતાં પાંચેયને નાની-મોટી ઇજાઓ થઇ હતી. લીંબડી સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. જેમાં અન્યોને રજા અપાઇ હતી. પણ રાજેશભાઇની હાલત ગંભીર હોઇ ૧૫૦ ફુટ રીંગ રોડ પર મેડી સર્જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આજે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર ત્રણ ભાઇ અને બે બહેનમાં નના હતાં. સંતાનમાં એક બે પુત્ર છે.

(3:28 pm IST)