Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ધ્રોલ વાડી વિસ્તારમાં ૩ વખત સર્વે બાદ શૌચાલય બન્યા નથીઃ ૮૫ પરિવાર હેરાન

ધ્રોલ, તા. ૧૯ :. મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન હેઠળ વાડી વિસ્તારમાં વ્યકિતગત શૌચાલય સુવિધા આપવા સતવારા સમાજના પ્રમુખ માધવજીભાઈ પરમારે સ્વચ્છતા મિશન ગાંધીનગરને રજૂઆત કરી છે.

વાડી વિસ્તારમાં શૌચાલય બનાવવા માટે બે થી ત્રણ વખત સર્વે કરવામાં આવેલ તેમાં ૮૫ શૌચાલય વિહોણા કુટુંબોને શૌચાલયની સુવિધા આપવા અંગે સર્વે કરતા માલૂમ પડેલ છે. જે લાભાર્થીઓની યાદી આ સાથે સામેલ છે અને આ અંગેની જાણ કલેકટર જામનગરને કરેલ છે પરંતુ આ અંગે એક વર્ષથી પણ વધારે સમય વીતવા છતાં આજ સુધીમાં આ અંગે કોઈ યોગ્ય નિર્ણય આવેલ નથી તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(11:24 am IST)