Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જામનગરમાં કાલે સવારે જન્‍માષ્‍ટમી શોભાયાત્રાનું પ્રસ્‍થાનઃ હવાઇ ચોકમાં સમાપન


(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૮ :.. શ્રી કૃષ્‍ણ પરમાત્‍માના પ્રાકટય મહોત્‍સવના ઉપલક્ષમાં જન્‍માષ્‍ટમીના દિને વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જામનગર શહેરમાં સાર્વજનિક રૂપે આ શોભાયાત્રાનું આયોજન સતત સોળમી વખત કરવામાં આવી રહ્યું છે.
જન્‍માષ્‍ટમીને અનુલક્ષીને સ્‍થાનીક શહેરીજનો તેમજ ગ્રામજનોમાં થનગનાટ વ્‍યાપેલ છે. આ શોભાયાત્રાનો પ્રારંભ કાલે સવારે ૯ કલાકે થશે.
ખીજડા મંદિરથી પ્રારંભ કરી સેન્‍ટ્રલ બેંક, બર્ધન ચોક, દરબારગઢ, ચાંદી બજાર, રતનબાઇ મસ્‍જિદ, દીપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ, પંચેશ્વર ટાવરથી હવાઇ ચોકમાં સમાપન થશે.
લાભ લેવા જન્‍માષ્‍ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. તેમ દિલીપભાઇ આશર ૯૩ર૮૧ ૦૯૯૧૮, કનકરાય વ્‍યાસ ૯૩૭પ૧ ૧૮૩રપ, ભરતભાઇ ડાંગરીયા ૯૮ર૪પ પ૭૧૩૪, ભરતભાઇ કલિયા ૯૮ર૪ર ૧રર૪પ ડો. જોગીન જોશી ૯૯રપ૧ ૧પ૯ર૯ એ જણાવ્‍યું છે.

 

(1:36 pm IST)