Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રાણાવાવના વાડોત્રામાં કોઝવેના પાણીમાં બાઇક સાથે તણાય ગયેલા ૨ યુવાનોની તંત્ર દ્વારા શોધખોળ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ : રાણાવાવના વાડોત્રામાં કોઝવેના ધમસમતા પાણીમાં બાઇક સાથે તણાય ગયેલા અજાણ્‍યા ૨ યુવાનોને શોધી કાઢવા તંત્ર કામે લાગ્‍યું છે.
રાણાવાવ તાલુકાના વાડોત્રા ગામે મીણસાર નદી ઉપરનો ચેકડેમ - કોઝવે પર બે અજાણ્‍યા યુવાનો બાઇક સાથે પસાર થતાં તણાઇ ગયા હતા જે અંગે જાણ થતા મામલતદાર, પીએસઆઇ પરેશસિંહ જાદવ અને ટીડીઓ તુરંત સ્‍થળ પર દોડી ગયા હતા અને સ્‍થાનિકોની મદદથી શોધખોળ હાથ ધરી છે. કલેકટર અશોક શર્માએ જિલ્લા વહીવટી તંત્રના સંબંધીત અધિકારીઓને સૂચના આપી છે કે ઉપરવાસના વરસાદને કારણે જ્‍યાં વધારે પાણી વહેતું હોય જોખમી કોઝવે તાત્‍કાલિક બંધ કરાવવા, જરૂર પડે પોલીસની મદદ લઇ બંદોબસ્‍ત ગોઠવવા આદેશ કલેકટર દ્વારા અપાયા છે.

 

(1:11 pm IST)