Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

દામનગરના ભૂરખિયા હનુમાનજી મંદિરે જીતુભાઇ ગોળવાળાની બ્રહ્મચૌર્યાસીમા સામાજિક મેળાવડો

(વિમલ ઠાકર દ્વારા) દામનગર તા. ૧૮ :.. દામનગર સુપ્રસિધ્‍ધ યાત્રાધામ શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે શ્રેષ્‍ટિ સામાજિક અગ્રણી સોમૈયા જીતુભાઇ ગોળવાળાના બ્રહ્મચોરાશિમાં સામાજિક મેળવાળો પૂજય હરિરામબાપાના અનન્‍ય સેવક જીતુભાઇ ગોળવાળા પરિવાર આયોજિત બ્રહ્મચોરાશિમાં સામાજિક સ્‍વૈચ્‍છીક એવમ ધર્મ સંસ્‍થાનના અગ્રણીની ઉપસ્‍થિતિ રઘુવંશી સમાજ રત્‍ન સૌમેયા જીતુભાઇ ગોળવાળા દ્વારા આજે ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે બ્રહ્મચોરાશિનું આયોજન કરાયું હતું. જેમાં રાજસ્‍વી અગ્રણી ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમર માજી ધારાસભ્‍ય ઠાકરશીભાઇ મેતલીયા યુવા અગ્રણી મનીષભાઇ સંઘાણી, જીતુભાઇ અડતાળા, મનુભાઇ દેસાઇ, નરેશભાઇ અધ્‍યારૂ, ડો. પી. પી. પંચાલ, ડો. ઉનડકટ ડેન્‍ટિસ કર્મચારી શ્રીઓ પત્રકારો ગ્રામ્‍ય સરપંચશ્રીઓ સહિત સાધુ-સંતો, અગ્રણી વેપારી ઉદ્યોગરત્‍ન સમાજ સેવી અગ્રણીની વિશાળ હાજરી જોવા મળી હતી. સુપ્રસિધ્‍ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિર કાર્યાલય ખાતે મેનેજીંગ ટ્રસ્‍ટી જીવનભાઇ હકાણી સાથે સામાજિક સ્‍વૈચ્‍છીક રાજસ્‍વી અગ્રણીઓએ મુલાકાત કરી મંદિર ટ્રસ્‍ટની અનેક વિધ સેવા પ્રવૃતિ નિહાળી ખૂબ ખુશી વ્‍યકત કરી હતી.

(12:06 pm IST)