Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

૧૩ વર્ષથી સોમનાથ પગપાળા જતા યુવાનો

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૧૮: દર શ્રાવણ માસમાં શીંશાગથી સોમનાથ પગપાળા ચાલીને જતા અંદાજીત પ૦ થી વધારે લોકો શીંશાગ, ખેંગારકા, રાજકોટ સહિતના લોકો પગપાળા એ સોમનાથ મહાદેવના મંદિરે દર્શનાર્થે જાય છે. સ્‍વ. મહાવીરસિંહ ચુડાસમા એ પગપાળા યાત્રા શરૂ કરાવેલ હતી તેની પ્રેરણાથી આજુ બાજુના તેમનાં ઘણા બધા મિત્રો અવરીત છેલ્લા ૧૩ વર્ષથી સોમનાથ મંદિરે દર્શનાર્થે જાય છે.
આ તકે આ પદયાત્રીકો ધોરાજી ખાતે પહોંચતા ધોરાજી માતૃકૃપા ટ્રાવેલ્‍સ ખાતે મનું અભિવાદન કરેલ હતું. આ તકે માતૃકૃપા ટ્રાવેલ્‍સ પરીવારે ચા, પાણી નાસ્‍તો કરાવીને આવકારેલ હતા. આ તકે હરપાલસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ચુડાસમા, સંદીપસિંહ ચુડાસમા, રાજ માહુલીયા, અશોકસિંહ ચુડાસમા સહિતના લોકો હાજર રહેલ હતા.

 

(11:52 am IST)