Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જુનાગઢમાં ગુજરાત ગૌરવ અભિયાન ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાઇ ગયો

જુનાગઢ તા.૧૮ :  જીલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા કેન્‍દ્ર સરકારશ્રીની આઠ વર્ષની ઉપલબ્‍ધીઓ નિમિતે ગુજરાત ગૌરવ અભિયાનની ઉજવણી કવરામાં આવશે. કેન્‍દ્ર તથા રાજય સરકારની અનેકવિધ યોજનાઓના લાભ શહેરીજનોને મળી રહયો છે. જે અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના અલગ અલગ ઘટકો પૈકી ચાલતા બી.એલ.(બેનીફીસયરી લેડ કન્‍સ્‍ટ્રકશન) ઘટકના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કાર્યક્રમ શ્રીમતી શાંતાબેન દિનેશભાઇ ખટારીયા પ્રમુખશ્રી જીલ્લા પંચાયત, જુનાગઢ અને ગીતાબેન મોહનભાઇ પરમાર, મેયરશ્રી અધ્‍યક્ષ સ્‍થાને કાર્યક્રમમાં રાજેશભાઇ ચુડાસમા, સાંસદ રમેશભાઇ ધડુક સાંસદ, પોરબંદર જવાહરભાઇ ચાવડા, પુર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્‍ય શ્રી માણાવદર, ગીરીશભાઇ કોટેચા, ડે.મેયર હરેશભાઇ પરસાણા, ચેરમેનશ્રી સ્‍થાયી સમિતિ પુનીતભાઇ શર્મા, શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઇ ભીંભા શાસક પક્ષના નેતા અરવિંદભાઇ ભલાણી, દંડકશ્રી મ.ન.પા. જુનાગઢની ઉપસ્‍થિતિમાં ગુજરાત ગૌરવ અભિયાન યોજાયો છે.

(1:39 pm IST)