Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ભાયાવદરના ખીરસરા ગામે વેપારી મનીષભાઇ ઉપર ધોકાથી હુમલો

દુકાનની જમીનના વિવાદમાં રાજુ ઉર્ફે લાલુ ખાંભલા તુટી પડયો

 

રાજકોટ તા. ૧૮: ભાયાવદરના ખીરસરા ગામે દુકાનની જમીનના વિવાદમાં વેપારી ઉપર લાકડાના ધોકાથી હુમલો થયો હતો.પ્રાપ્‍ત વિગતો મુજબ ખીરસરા ગામે શિવ પાન અને અનાજ કરીયાણાની બે દુકાન ધરાવતા મનીષભાઇ ટપુભાઇ ગાજણોતર ઉપર તેજ ગામના રાજુ ઉર્ફે લાલુ વિજલભાઇ ખાંભલાએ લાકડાના ધોકાથી હુમલો કરી ફ્રેકચર જેવી ઇજા કરી પતાવી દેવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્‍ત મનીષભાઇની બે દુકાન પૈકી એક દુકાન રાવરી જમીનમાં હોય જે દુકાન એક મહિના પહેલા આરોપી રાજુ ઉર્ફે લાલુએ ખાલી કરવાનું કહેલ પણ ખાલી ન કરતા તેનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ અંગે ઉકત શખ્‍સ સામે ફરીયાદ થતા ભાયાવદરના હેડ કો. એમ. એસ. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

(12:13 pm IST)