Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

મોરબીમાં ત્રાજપર ચોકડીએ જુના મનદુઃખમાં મનિષ વરાણીયા પર ધોકા-પાઇપથી હુમલો

જુના મનદુઃખમાં ધારો, કમલેશ સહિતના તૂટી પડયાઃ યુવાનને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૮: મોરબીમાં મહેન્‍દ્રસિંહજી હોસ્‍પિટલ પાછળ વ્‍હોરાબાગ નજીક રહેતાં અને કારખાનામાં કામ કરતાં મનિષ નારણભાઇ વરાણીયા (ઉ.૩૨) નામના કોળી યુવાન પર રાત્રીના પોણા દસેક વાગ્‍યે મોરબી ત્રાજપર ચોકડીએ હતો ત્‍યારે ધારાભાઇ કોળી, કમલેશ તથા અજાણ્‍યા શખ્‍સોએ ધોકા-પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

મનિષે જણાવ્‍યું હતું કે પોતે રાતે ત્રાજપર ચોકડીએ હતો ત્‍યારે અગાઉના મનદુઃખનો ખાર રાખી ધારા સહિતનાએ હુમલો કર્યો હતો. આ શખ્‍સોએ ધોકા-પાઇપથી બેફામ માર મારતાં માથા, શરીરે ઇજાઓ થઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ મોરબી બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(12:03 pm IST)