Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીને લાલ-પીળી ખારેકનો શ્રૃંગારઃ મારૂતિયજ્ઞ

વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્‍યાત એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે આજે શનિવારના રોજ દાદાના દરબારમાં લાલ, પીળી ખારેકના અનોખા શણગાર દર્શન યોજાયેલ હતા. તેમજ સવારે મંગળા આરતી પૂજારી સ્‍વામીશ્રી ડી.કે.સ્‍વામી દ્વારા કરવામાં આવેલ તેમજ શણગાર આરતી પ.પૂ.કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી દ્વારા કરવામાં આવેલ હતી તેમજ યજ્ઞશાળામાં સવારના સાત વાગ્‍યાથી સાંજના પાંચ વાગ્‍યા સુધી મારૂતિ યજ્ઞ રાખેલ છે. આજે દાદાના દરબારમાં હજારો ભાવિકોએ દર્શનનો લાભ લઇ ધન્‍યતા અનુભવેલ હતી.

(11:35 am IST)