Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

યાત્રાધામ વિરપુર (જલારામ)મા પૂ. જલારામ બાપાના પરિવારના પૂ. રસિકબાપાના ધર્મપત્ની હેમલતાબેન ચાંદ્રાણી નું 80 વર્ષે નિધન

ગાદીપતિ પૂ. રઘુરામબાપાના તેમજ પૂ. ભરતભાઇ ચાંદ્રાણીના કાકીની કાલે અંતિમયાત્રા : વેપારીઓ શોકમય પોતાના વેપાર ધંધાઓ સંપૂર્ણ બંધ પાળશે

(કિશન મોરબીયા દ્વારા)વિરપુર (જલારામ) તા.૧૮ : યાત્રાધામ વિરપુર (જલારામ) પૂજ્ય જલારામ બાપાના પરિવારના પૂજ્ય રસિકબાપાના ધર્મપત્ની હેમલતાબેન ચાંદ્રાણી નું 80 વર્ષે નિધન થતા ધેરો શોક છવાયો છે.

 તેઓ   પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાના તેમજ પૂજ્ય ભરતભાઇ ચાંદ્રાણીના કાકીમા

છે.આવતી કાલે ગુરુવારે સવારે 9 વાગ્યે અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

   પૂજ્ય જલારામ બાપાના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.આવતી કાલે સમગ્ર વીરપુર ગામના વેપારીઓ શોકમય પોતાના વેપાર ધંધાઓ સંપૂર્ણ બંધ પાળશે.

 

વૈકુંઠવાસી હેમલતાબેન ચાંદ્રાણીની પ્રાર્થના સભા તા.21/05/22 ને શનિવારે સાંજે 5:30 વાગ્યે પૂજ્ય જલારામ બાપાની ધર્મશાળા શ્રી જલારામ અતિથિગૃહ ખાતે યોજાશે.

(2:44 pm IST)