Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ધોરાજીના ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા દ્વારા માખીયાળા નવદુર્ગા આશ્રમ ખાતે અખંડ નવ દિવસ રામાયણના પાઠ સાથે નવચંડી મહાયજ્ઞ નો પ્રારંભ : શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ના સાનિધ્યમાં ઉગ્ર તપસ્યા : ચિત્રકૂટ ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અખંડ ૨૪ કલાક રામાયણના પાઠ નો આજથી પ્રારંભ

નવરાત્રી મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ દ્વારા આયોજનમાં કોઇપણ લોકોને જાહેર આમંત્રણ નહીં : કોરોના મહામારી ના સમયને ધ્યાનમાં રાખી ધોરાજીથી ૧૩ કિલોમીટર દૂર માખીયાળા નજીક નવદુર્ગા આશ્રમમાં નવરાત્રી અનુષ્ઠાન નો આજથી પ્રારંભ

ધોરાજી: ધોરાજીના પ્રાચીન શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે છેલ્લા ૩૬ વર્ષથી નવરાત્રી મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ દ્વારા યોજાઇ રહ્યો છે જેમાં ચિત્રકૂટ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અખંડ ૨૪ કલાક નવ દિવસ સુધી રામાયણના પાઠ તેમજ નવચંડી મહાયજ્ઞ નો ભવ્ય આયોજન છેલ્લા ૩૬ વર્ષથી થઈ રહ્યું છે

આશ્રમના મહંત શ્રી દિગંબર લાલુગિરિજી મહારાજ ના સાનિધ્યમાં આ વર્ષે પણ નવરાત્રી અનુષ્ઠાન નો આયોજન કરવામાં આવ્યું છે આ સમયે પૂજ્ય શ્રી મહંત શ્રી દિગંબર લાલુ ગીરીજી મહારાજ એ જણાવેલ કે હાલમાં કોરોના મહામારી ના સમયમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવા માટે ધોરાજી થી ૧૩ કિલોમીટર દૂર આવેલ શ્રી નવદુર્ગા આશ્રમ માખીયાળા ખાતે આ વર્ષ માટે નવરાત્રી અનુષ્ઠાન નું આયોજન કરવામાં આવ્યું છે

       આજે પ્રથમ નોરતાનો પ્રારંભ ચિત્રકૂટ ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અખંડ 24 કલાક નવ દિવસ સુધી રામાયણના પાઠ પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ મંડલીકપુર ના શાસ્ત્રી મુકેશ અદા વિગેરે પંડિતો દ્વારા નવરાત્રિના પ્રથમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવદુર્ગાનું પૂજન સ્થાપના કળશ સ્થાપના તેમજ વૈદિક પરંપરા મુજબ નવરાત્રી અનુષ્ઠાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો

આ સમયે શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ એ જણાવેલ કે આજે પવિત્ર નોરતાના પ્રારંભ સમયે આશીર્વાદ પાઠવતા જણાવેલ કે હિન્દુ ધર્મમાં નવરાત્રિ પર્વ એટલે માતાજીની આરાધનાનો દિવસ ગણાય છે.આ સમયે ડિસ્કો ડાંડીયા ના શોખને બદલે માત્ર ને માત્ર માતાજીની આરાધના સાથે સાથે દિવ્ય ભક્તિ નો સમય છે ત્યારે અમારા આશ્રમ દ્વારા છેલ્લા ૩૬ વર્ષથી માત્ર ને માત્ર માતાજીના સાનિધ્યમાં અખંડ ૨૪ કલાકના રામાયણના પાઠ તેમજ નવચંડી મહાયજ્ઞ અને દરરોજ અગિયાર બાળાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે આશ્રમમાં માત્ર ને માત્ર માતાજીની આરાધના સિવાય કશું જ નહીં અહીં કોઈ લોકોને આમંત્રણ પાઠવવામાં આવતું નથી જેથી કરીને અમો ધોરાજીની બદલે ધોરાજી થી ૧૩ કિલોમીટર દૂર નવદુર્ગા આશ્રમ ખાતે આ વર્ષ માટે નવરાત્રી અનુષ્ઠાન નું આયોજન કરવામાં આવ્યું છે

       આ સમયે શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ નવરાત્રિના નવ દિવસ સુધી ઉગ્ર તપશ્ચર્યા ની સાથે સાથે માં નવદુર્ગાની આરાધનાના માં બેસી ગયા છે તેમજ ચિત્રકૂટ ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અખંડ ૨૪ કલાકના રામાયણના પાઠ અને નવચંડી મહાયજ્ઞ દરરોજ નવ દિવસ સુધી યોજાશે બાદ વિજયા દશમીના રોજ સાધુ સંતોની હાજરીમાં પૂર્ણાહુતિ થશે.

(5:47 pm IST)