Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો ભરવાની મુદત વધારાઇ

વઢવાણ, તા.૧૭: સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકામાં ધંધો રોજગાર વ્યાપાર કરતાં વેપારી ભાઇઓ ને જણાવાનુ કે વ્યવસાય વેરો ભરપાઇ કરવા માટે ની છેલ્લી તારીખ ૩૦/૯/૨૦૨૦ છે એ પછી ૧/૧૦/૨૦૨૦ થી વ્યાજ લાગુ પઙી જાશે તેમજ વ્યવસાય વેરો ઇૅંનગર ઓનલાઈન છે જેથી તમારે એકજ વાર વેરો ભરપાઇ કરવા આવો ત્યારે આદ્યાર કાર્ડ તેમજ શોપ લાયસન્સ લઇ ને આવશો જેને શોપ લાયસન્સ નો હોય તેમને આધાર કાર્ડ લઇને આવવુ જરૂરી છે.

નગરપાલિકા વહીવટીદાર અનીલકુમાર ગોસ્વામી તેમજ ચિફ ઓફીસર સંજયભાઇ પંડયાના આદેશથી શહેરમાં વ્યવસાય વેરો ભરવા માટેની છેલ્લી તારીખ ૩૦/૯ છે તેવી રીક્ષામાં લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત પણ કરવામાં આવે છે. જેથી વ્યાજ ન ભરવુ પડે એટલા માટે પેઢીના તેમજ તેમા રાખેલા કર્મચારીઓ નો વ્યવસાય વેરો ભરપાઇ કરી આપવા વિનંતી છે.

વ્યવસાય વેરામાં વ્યાજ માફીની સત્તા કોઇપાસે નથી એટલે વેપારી મીત્રો ને વીંનતી છે ૩૦/૯/ પહેલા ભરપાઇ કરી આપશો જે કરદાતાઓ વઢવાણ ની હદમાં છે તેમને વઢવાણ નગરપાલિકા એ ભરપાઇ કરવા જવા તેમજ સુરેન્દ્રનગર રતનપર જોરાવરનગર માં હોય તેમને સુરેન્દ્રનગર નગરપાલિકામાં વેરાની રકમ ભરવા જણાવેલ છે.

(12:00 pm IST)