Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

કેશોદ આહિર યુવક મંડળ દ્વારા ફરસાણ મીઠાઈનું વિતરણ

  કેશોદઃ શહેરમાં જુદા જુદા વિસ્‍તારોમાં આહિર યુવક મંડળ દ્વારા જન્‍માષ્ટમી પર્વ નિમિત્તે જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્‍યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. કેશોદ તાલુકાનાં અખોદર સરોડ નાની ઘંસારી ગામ સહીત આહિર યુવાનો દ્વારા  જહેમત ઉઠાવી ફરસાણ અને મીઠાઈ તૈયાર કરી પેકીગ કર્યું હતું  કેશોદ શહેરમાં આહિર યુવક મંડળ દ્વારા છેલ્લાં અગીયાર વર્ષથી દર વર્ષે જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્‍યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવેછે જે અન્‍ય સમાજને પ્રેરણા પુરી પાડે છે. કોરોના મહામારી પછી આવેલી વૈશ્વિક મંદી અને આર્થિક મુશ્‍કેલીઓ વચ્‍ચે સામાન્‍ય અને મધ્‍યમ વર્ગના લોકોને તહેવારો દરમિયાન ચિંતાતુર હોય છે ત્‍યારે આહિર યુવક મંડળ દ્વારા જરૂયાતમંદ લોકોના ઘરે ઘરે જઈને ચૌદ સો કિલો વિનામૂલ્‍યે  ફરસાણ મીઠાઈની કિટોનું  વિતરણ કરવામાં આવતાં જરૂરીયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયુંછે આહિર યુવક મંડળ દ્વારા દર વર્ષે મીઠાઈ ફરસાણના વિતરણ માટે આયોજન કરવામાં આવે છે.

(1:11 pm IST)