Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મોરબીમાં સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટની મીટીંગમાં ખંડિત મૂર્તિઓ અંગે ચર્ચા : નવી મૂર્તિઓ માટે દાતાઓને અપીલ

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પર આવેલ સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં ખંડિત મૂર્તિઓને સ્થાને નવી મૂર્તિઓ માટે દાતાઓને અપીલ કરવામાં આવી છે
 સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડી એસ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મીટીંગમાં ઠરાવ કરાયો છે જેમાં સોનાપુરીમાં જે મૂર્તિઓ મુકવામાં આવી હોય તે ખંડિત થઇ હોવાથી અગાઉના દાતાઓએ ફરી દાતા બનવું હોય તો તા. ૨૫ ઓગસ્ટ સુધીમાં સંપર્ક કરવો અને બાદમાં બીજા દાતાઓને લાભ આપવામાં આવશે દાતાઓએ અનિલભાઈ વાઘેલા મોબાઈલ નંબર ૯૮૨૫૭ ૬૨૯૦૯ પર સંપર્ક કરવા જણાવ્યું છે

(1:51 pm IST)