Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સાવરકુંડલાના વ્યાયામ મંદિર ખાતે સુરેશભાઇ પાનસૂરિયાના હસ્તે ધ્વજવંદનઃ સાવરકુંડલા

વ્યાયામ મંદિર ખાતે ૧૫ મી ઓગષ્ટ નિમિતે આન બાન અને શાનથી સુરેશભાઈ પાનસૂરિયાના વાસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. ૧૫મી ઓગષ્ટ નિમિતે સાવરકુંડલાના વ્યાયામ મંદિર ખાતે અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશભાઈ પાનસૂરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. ભારતના ૭૫ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે અત્રેના વ્યાયમ મંદિર (અખાડા) ખાતે ધ્વજવંદન કરતા સુરેશભાઈ પાનસૂરિયાએ જણાવેલ હતું કે આપને સ્વતંત્રતા મળી તેને આજે ૭૫ વર્ષ થયાં આ સ્વતંત્રતા આપનાર તમામ શહિદ વિરોને લાખ લાખ સલામ છે આજે આપણો દેશ વિકાસથી હરણફાળ છે અને ભારત એકતા અને અખડતાનું પ્રતીક બન્યું છે સમગ્ર વિશ્વમાં તેવી વિસ્તુતપણે ખ્યાલ આપેલ હતો એ તકે નુતન કેળવણીના ટ્રસ્ટી વિનુભાઈ રાવણ વિગેરે ટ્રસ્ટી મંડળ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા.(તસ્વીર, અહેવાલઃ ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)

(1:25 pm IST)