Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ગિરનારના ૧૦૦ પગથીયા પાસે જંગલમાં અજાણ્યા યુવાનનો ગળા ફાંસો ખાઇ આપઘાત

મૃતકની ઓળખ મેળવવા ભવનાથ પોલીસ દ્વારા તપાસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૭ : જુનાગઢમાં ભવનાથ ખાતેના ગિનારના ૧૦૦ પગથીયા પાસે જંગલમાં અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા ભવનાથ પોલીસે તપાસ હાથ ધરી છે.

ગિરનાર પર્વતના ૧૦૦ પગથીયા પાસે પ૦ ફુટ અંદર જંગલમાં એક અજાણ્યા ૪પ વર્ષની વયના યુવાનની લાશ લટકતી હોવાની જાણ દિલીપ નારણભાઇ સાબરીયાએ કરતા ભવનાથના પી.એસ.આઇ. એમ.સી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. બી.પી.ડાંગર દોડી ગયા હતા અને મૃતદેહને પોસ્ટ મોર્ટસ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી.

પી.એસ.આઇ. શ્રી ચુડાસમાએ જણાવેલ કે, મૃતક યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે હાલ મૃતકની ઓળખ થ નથી.

ભવનાથના પોલીસ જમાદાર રામદેભાઇ બામરોટીયા વગેરે મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ ચલાવી રહ્યા છે.

મૃતકની ઓળખ અંગે કોઇને માહિતી મળે તો તે અંગે ભવનાથ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પી.એસ.આઇ.શ્રી ચુડાસમાએ અનુરોધ કર્યો છે.

(1:20 pm IST)