Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ધોરાજી માર્કેટીંગ યાર્ડના ચેરમેન રણછોડભાઇ કોયાણીનું અવસાન

અંતિમયાત્રામાં જયેશભાઇ રાદડીયા અને પાલિકા પ્રમુખ-સદસ્યો વિવિધ સેવાકીય સંસ્થાના આગેવાનો સહિત જોડાઇને સદ્ગતને અંજલી અર્પી

ધોરાજી : સહકારી અગ્રણી અને અનેક વિધ સંસ્થાઓ જેવી કે માર્કેટીંગ યાર્ડ ધોરાજી સહકારી મંડળી તેમજ નગરપાલીકાના પ્રમુખ સહિત અનેક વિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા એવા રણછોડભાઇ કોયાણીનું ટૂંકી બીમાર બાદ અમદાવાદ ખાતે અવસાન થયેલ હતું.

આજે વહેલી સવારે રણછોડભાઇ કોયાણીના અવસાનના સમાચાર મળતા ધોરાજી અને આજુ બાજુના વિસ્તારમાં ઘેરા શોકની લાગણીઓ ફેલાઇ હતી.

રણછોડભાઇ કોયાણીના અવસાનની જાણ થતા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ સહકારી અગ્રણીઓ અને પરીવારજનો સ્વ. રણછોડભાઇની અંતીમયાત્રામાં જોડાયા હતા અને સ્વ. રણછોડભાઇ કોયાણીની સેવાઓને બીરદાવી શ્રધ્ધાસુમન અપર્ણ કરેલ હતાં.

(11:59 am IST)