Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પોરબંદરમાં ઘાસ વેચવાની મનાઇ ફરમાવાતા વેપારીઓએ ચક્કાજામ કર્યો

પોરબંદર નગર પાલીકાએ શહેરમાં ઘાસચારો વેચવા ઉપર પ્રતિબંધ ફરમાવતા ઘાસ વેચનાર વેપારીઓમાં આ બાબતે રોષ ફેલાયો હતો અને જડેશ્વર મંદિર નજીક ઘાસચારો વેચનારા વેપારીઓ સહિત ૧૫૦ થી વધુ લોકોના ટોળાએ પોરબંદરના મુખ્ય પ્રવેશદ્વાર પર ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો હતો અને પાલીકા સામે આક્રોશ ઠાલવ્યો હતો. નોંધનીય છે કે શહેરમાં ઘાસચારાના કારણે રખડુ ઢોરની સમસ્યા, ગંદકી અને ટ્રાફીકની સમસ્યા ઉદભવે છે તેથી તેના નિરાકરણ માટે ઘાસચારો વેચવાનું બંધ કરાવાયાનો બચાવ તંત્ર વાહકો કરી રહયા છે.

(6:01 pm IST)