Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ભાવનગર-સુરેન્દ્રનગર રૃટની પેસેન્જર ટ્રેનની અડફેટે વઢવાણના ખારવા ગામના લખમણભાઇ બગડીયાનું મોત

ખારવાના વૃદ્ધ ખડ લેવા જતા હતાને ટ્રેનની ઠાકોરે ચડી જતા કમકમાટીભર્યું મોત

રાજકોટ :ભાવનગર-સુરેન્દ્રનગર પેસેન્જર ટ્રેનની હડફેટે ચડી જતા વઢવાણના ખારવા ગામના લખમણભાઇ નામના વૃઘ્ધનું કરુણ મોત નીપજ્યું છે મળતી વિગતો મુજબ વઢવાણ તાલુકાના ખારવા ગામે રહેતા વૃધ્ધ સવારે ખડ લેવા જઈ રહ્યા હતા.ત્યારે ગોમટા ગામ વચ્ચે આવેલ રેલવે પાટા પર  કોઈ કારણોસર ભાવનગર-સુરેન્દ્રનગર રૃટની પેસેન્જર ટ્રેનની અડફેટે આવી જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયાનું વઢવાણ પોલીસ મથકે જાહેર થયું છે

  અંગેની વિગત મુજબ વઢવાણ તાલુકાના ખારવા ગામે રહેતા લખમણભાઈ માવજીભાઈ બગડીયા પટેલ (..૬પ) સવારના ખડ લેવા જઈ રહ્યા હતા ત્યારે ખારવા ગામથી ગોમટા ગામ વચ્ચે આવેલ રેલવે પાટા પાસે ભાવનગર-સુરેન્દ્રનગર રૃટની પેસેન્જર ટ્રેનની અડફેટે લખમણભાઈ બગડીયા પટેલ આવી જતા તેઓએ શરીરે, માથે અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયાનું

(12:07 am IST)