Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

દામનગર શહેરમાં વિર માંધાતાની ભવ્ય શોભાયાત્રા

દામનગરઃ શહેર યુવા સંગઠન દ્વારા દામનગર શહેરમાં વિર માંધાતાની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. ઉતરાયણના દિવસે આ શોભાયાત્રા કોળી જ્ઞાતિની વાડી સીતારામ ખાતેથી સવારે પ્રસ્થાન થયેલ મુખ્યમાર્ગો પર ફરી હતી. આ રેલીનો ઉદ્દેશ કોળી સમાજમાં શિક્ષણનો ફેલાવો, વ્યસનમુકિત-અંધશ્રધ્ધાથી દુર રહેવું અને સમાજ  સંગઠિત કરવો છે. સમસ્ત કોળી સમાજના ભાઇઓ બહેનો તથા બાળકોએ શોભાયાત્રાનો લાભ લીધેલ  સુરેશભાઇ છગનભાઇ ચોૈહાણ (તુલસીપાન) વાળા એ આયોજન તેમજ. વડિલોએ અભિનંદન પાઠવેલ હતા.

(11:35 am IST)