Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની સેવાર્થે મોરારીબાપુ રામકથા કરશે

આ સેવાયજ્ઞમાં દાનની આહુતિ અર્પણ માટે કરવામાં આવી હાકલ

મુંબઈ, તા. ૧૬ :. અમરેલી જિલ્લાના સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પીટલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની સેવાર્થે આગામી ૩જી ફેબ્રુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી મોરારીબાપુ રામકથા કરવાના છે. આ હોસ્પીટલના લોકાર્પણ પ્રસંગે ૨૦૧૫માં ૭ જાન્યુઆરીએ તેની સેવા પ્રવૃતિથી અભિભૂત થઈને મોરારીબાપુએ એક યજમાન સહિતની રામકથા આપવાનો દ્રઢ મનોરથ સેવ્યો હતો જે હવે સાકાર થવા જઈ રહ્યો છે. કથાશ્રવણ, પ્રસાદગ્રહણ અને દાનની આહુતિ અર્પણ માટે સૌ કોઈને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવાયુ છે. વધુ વિગત માટે ફોન ૦૨૮૪૫-૨૨૫૫૬૬ કે મોબાઈલ ૦૮૧૪૧૧ ૭૫૨૮૧ અથવા ramkathask@gmail.com કે સંસ્થાન વેબસાઈટ www.shreevidhyaguru.org નો સંપર્ક કરી શકાય.

 

(9:56 am IST)