Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

ગોંડલ અક્ષરમંદિરે અન્નકુટ દર્શન કાર્યક્રમ રાજવી પરિવારે અન્નકુટ દર્શનનો લીધો લાભ

પૂ, મહંત સ્વામીએ અન્નકુટના ઓનલાઈન દર્શન ખુલ્લા મુક્યા

ગોંડલમાં અક્ષર મંદિરે અન્નકૂટ દર્શન કાર્યક્રમ યોજાયો હતો. અન્નકૂટ કાર્યક્રમમાં ગોંડલના રાજવી પરિવારએ અક્ષરમંદિરે દર્શન કરી લાભ લીધો હતો.

દિવાળીના પર્વની ઉજવણી લોકો વિવિધ ધાર્મિક પુજા-અર્ચના સાથે કરી રહ્યાં છે. ત્યારે ગોંડલ અક્ષરમંદિરમાં પણ અન્નકૂટના દર્શન યોજાયા હતા. જેમાં ગોંડલના રાજવી પરિવારએ દર્શનનો લાભ લીધો હતો.

દર વર્ષની પરંપરા મુજબ ભગવાન સ્વામિનારાયણને અવનવી વાનગીઓ ધરાવવામાં આવી હતી. આ વખતે કોરોનાને કારણે સાદગીપૂર્વક અન્નકૂટના દર્શન યોજાયા હતા. અમદાવાદ પાસે આવેલા નેનપુર ગામેથી આવેલા મહંત સ્વામીએ અન્નકુટના ઓનલાઈન દર્શન ખુલ્લા મુક્યા હતા

(11:35 pm IST)