Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

સમસ્ત બ્રહ્મસમાજ – મોરબી દ્વારા દશેરાના પાવન પર્વે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજન કરાયું.

મોરબી :  સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આજરોજ ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના આચાર્ય પદે શાસ્ત્રીજી અમિતભાઈ પંડ્યા બિરાજયા હતા
જે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં અનિલભાઈ મહેતા, ભુપતભાઈ પંડ્યા, બી. કે. લહેરુ, મુકેશભાઈ જાની, મધુભાઈ ઠાકર, મુકેશભાઈ પંચોલી, નીમેશભાઈ અંતાણી, મુકુંદભાઈ જોષી, શાસ્ત્રીજી વિપુલભાઈ શુક્લ, કિશોરભાઈ પંડ્યા, નરેન્દ્રભાઇ મેહતા, સુરેશભાઈ ત્રિવેદી, નીરજભાઈ ભટ્ટ, ધ્યાનેશભાઈ રાવલ, શીતલબેન દવે, નલીનભાઇ ભટ્ટ, ધિરેનભાઈ ઠાકર વગેરે હાજર રહ્યા હતા
કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ કિશોરભાઈ શુક્લ અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષી તથા સમસ્ત બ્રહ્મસમાજની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

(11:39 am IST)