Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું. બ્રહ્મસમાજ પણ શસ્ત્ર સાથે સાસ્ત્ર પૂજન કર્યુ.

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું.

મોરબી : અસત્ય પર સત્યના વિજય સમાન વિજયાદશમીના પાવન પર્વ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું કોરોના મહામારીને પગલે રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે યોજાતી શોભાયાત્રા રદ કરવામાં આવી હતી અને માત્ર શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો
જેમાં મોરબીના શકત શનાળા ગામે આવેલ શક્તિ માતાજી મંદિર ખાતે રાજપૂત સમાજના યુવાનોએ શસ્ત્ર પૂજન કર્યું હતું શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું અને દશેરા પર્વની ઉજવણી કરાઈ હતી જે પ્રસંગે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(11:37 am IST)