Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જામકંડોરણામાં ગરબી મંડળોની બાળાઓને ભોજન

જામકંડોરણા : ભાદરા નાકા પાસે ઉતાવળી નદીના કાંઠે રમણીય જગ્યામા મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર આવેલુ છે. આ મંદિર દર વર્ષેે બેઠા ગરબા ગાઇ નવરાત્રીની ઉજવણી કરેલ છે. તેમજ શહેરની તમામ ગરબીઓની બાળાઓને એક દિવસ ભોજન પ્રસાદ લેવડાવવામાં આવે છે. આ વર્ષે પણ આ મહાકાળી માતાજીના મંદિરે શહેરની તમામ ગરબીઓની બાળાઓને પ્રસાદનું આયોજન કરી પ્રસાદ ભોજન કરાવવામાં આવ્યુ હતુ. આ બાળાઓએ માતાજીના સાનિધ્યમાં ભોજન પ્રસાદ લીધો હતો તે તસ્વીર.(તસ્વીર : મનસુખભાઇ સી.બાલઘા)

(10:57 am IST)