Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જામજોધપુરની તમામ ગરબી મંડળની બાળાઓને મહાપ્રસાદ

જામજોધપુર : શહેરની ૧૭ જેટલી તમામ ગરબી મંડળની બાળાઓ માટે જામજોધપુર તાલુકા ભાજપ આગેવાન માર્કેટયાર્ડના સદસ્ય જયસુખભાઇ વડાલીયા તેમજ મનીષભાઇ ત્રાંબડીયા પરિવાર દ્વારા પટેલ સેવા સમાજ મુકામે મહાપ્રસાદનું આયોજન કરેલ. આ કાર્યક્રમમાં માતાજીની આરતીનો મહાકાર્યક્રમ પણ યોજાયેલ ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયના પુર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા, વેપારી અગ્રણી તેમજ ન.પા. ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર ન.પા. પાણી પુરવઠા સમિતિ ચેરમેન તારાભાઇ વડાલીયાના હસ્તે શહેરની તમામ ગરબી મંડળની બાળાઓને એક પર્સ લાણીરૂપે ભેટ આપેલ. આ કાર્યક્રમમમાં ન.પા. માર્કેટીંગ યાર્ડના સદસ્યો શહેરના વેપારીઓનો તથા સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા. તસ્વીર ગરબી મંડળની બાળાઓની તસ્વીર.

(10:56 am IST)