Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કોરોના કેસ વધતા જેતપુર માર્કેટિંગ યાર્ડ ની હરાજી બંધ રાખવા વેપારી અશોસિયેશન દ્વારા સ્વૈચ્છિક નિર્ણય

 (કેતન ઓઝા દ્વારા) જેતપુર:::  હાલ કોરોના મહામારી નો ભરડો વધતો જતો હોય તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કરેલ હોય તેને અનુલક્ષી જેતપુર માર્કેટિંગ યાર્ડ વેપારી એશોસિયેશન દ્વારા આગામી તા.૧૭/૪/૨૧ થી તા.૨૫/૪/૨૧ એમ ૯ દિવસ યાર્ડનું કામકાજ અને હરાજી બંધ રાખવા સર્વાનુમતે સ્વૈચ્છિક નિર્ણય લેવાયો. ત્યાર બાદ પરિસ્થિતિ મુજબ તા. ૨૬ નવો નિર્ણય લેવાશે કે બંધ લંબાવવું કે હરાજી ચાલુ કરવી.

(2:07 pm IST)