Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સાંદિપની હોસ્ટેલ દ્વારા નિરાધાર વૃધ્ધો-બાળકોને ધાર્મિકયાત્રા

સાંદિપની હોસ્ટેલ વાળા સુરેશભાઇ પટેલ દ્વારા ૬૦ અનાથ, નિરાધાર,બાળકો અને વૃધ્ધો માટે સૌરાષ્ટ્રના પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યુ  હતુ. જેમાં ખોડલધામ-કાગવડ, વિરપુર (જલારામ), શ્રી સોમનાથ મહાદેવ, સતાધાર, જુનાગઢ, પરબધામ સહિતના ધાર્મિક સ્થળોના દર્શને નિઃશુલ્ક લઇ જવાયા હતા.૬૦ જેટલા બાળકો અને વૃધ્ધો તેમા જોડાયા હતા. ધાર્મિક યાત્રાના મુખ્ય યજમાન સુરેશભાઇ પટેલ, (સાંદિપની હોસ્ટેલ) વિજયભાઇ પટેલ, પાર્થભાઇ માનસેતા (મો.૯૭૩૭૦ ૬૨૪૬૩), જગદીશભાઇ ભરવાડ, નયનાબેન મેઢા (આચાર્યશ્રી સાંદિપની) પ્રતિમાબેન વગેરે જોડાયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:40 am IST)