Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

વિજયભાઇ વિજયી થતા રાજકોટથી માલધારી સમાજનો સંઘ માનતા પૂરી કરવા સોમનાથ પહોંચ્યો

પ્રભાસપાટણ : રાજકોટ વોર્ડ નંબર-૮ના માલધારી સમાજ દ્વારા વિજયભાઇ રૂપાણી ચૂંટણીમાં વિજયી બને અને મુખ્યમંત્રી બને તે માટે રાજકોટથી સોમનાથ પગપાળા યાત્રા કરી અને વિજયભાઇની સાકરતુલા અને ધ્વજા રોહણની માનતા કરેલ હતી જે તા.૧પ ના રોજ પૂર્ણ કરેલ છે. રાજકોટ વોર્ડ નંબર ૮ના વિહાભાઇ જગમાલભાઇ કિહલાના ઘરેથી હિંગળાજ નગરમાંથી તા.૮ ના સોમવારે રવાના થયેલ અને રવિવારે આ યાત્રા સંઘ પહોચેલ. આ સંઘમાં ભાઇઓ-બહેનો મળીને કુલ ૧પ૦ થી વધુ માલધારી સમાજના લોકો જોડાયા હતા જેમને રાજકોટ ભાજપના શ્રી નિતિનભાઇ ભારદ્વાજે વિદાય આપેલ અને તેઓઅે મુખ્યમંત્રી વિજયભાઇ વિજયી થયા તે અંગેની માનતા પુરી કરતા અને સોમનાથ દાદાના દર્શન કરી અને ધ્વજા રોહણ થતા ખુબજ ધન્યતા અનુભવેલ. આ તમામ પરીવારો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ છે આ યાત્રા માલધારી સમાજના અગ્રણી વિહાભાઇ જગમાલભાઇ કિહલાની આગેવાની હેઠળ પગપાળા પૂર્ણ કરેલ. માનતા માનેલ તે પૂર્ણ થતા ખુબજ ધન્ય બનેલ. તસ્વીરમાં ધ્વજા ચડાવેલ ત્યારે માલધારી સમાજની બહેનો ભગવાન-ભોળાનાથના ગુણગાનમાં વ્યસ્ત નજરે પડે. છે (તસ્વીર-દેવાભાઇ રાઠોડ (પ્રભાસપાટણ)

(9:58 am IST)