Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પાકિસ્તાન મરીન સિકયુરીટીએ પોરબંદરની ૭ બોટ સાથે માછીમારોના અપહરણ કર્યાનું ખુલ્યું

 પોરબંદરઃપાકિસ્તાન મરીન સિકયુરીટીએ કાલે ૪૩ માછીમારો સાથે ૭ બોટના અપહરણ કર્યા છે. આ બોટ પોરબંદરની હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સાગર સમ્રાટ, રાજશકિત, ખોડલ કૃપા, સુરજ, ક્રિસ, શ્રીરાજ ધૃવીકા નામની બોટ ઉઠાવી ગયાનું મનીષભાઇ લોઢારીએ જણાવ્યું હતું.

માછીમારો આપણી સરહદ ન ઓળંગે

આ અંગે બોટ એસોસીએશનના અગ્રણી વેલજીભાઇ મસાણીએ જણાવ્યું હતું કે, આપણા માછીમારોએ આપણી સરહદ ન ઓળંગવી જોઇએ. કારણ કે પાકિસ્તાન મરીન સિકયુરીટીનો ચુસ્ત પહેરો પાકિસ્તાન સરહદ ઉપર હોય છે અને સરહદ ભંગ કરતાની સાથે જ પાકિસ્તાન મરીન સિકયુરીટી માછીમારોને ઉઠાવી જાય છે જેના કારણે પરીવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

(4:08 pm IST)