Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ખંભાળીયામાં માનવ સેવા સમિતિ દ્વારા વિદેશથી દાન કરનારા દાતાઓનું સન્માન

ખંભાળીયા તા.૧૪ : માનવ સેવા સમિતિ દ્વારા ખંભાળિયામાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ તથા આંખ તથા દાંતના રોગોમાં વિશેષ મદદરૂપ થનાર તથા વિવિધ કેમ્પોમાં પણ મદદરૂપ થનાર વિદેશના દાતાશ્રીઓનું ખંભાળીયામાં આગમન થતા તેમનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

મુળ ખંભાળીયાના વતની તથા હાલ લેસ્ટર (યુકે) રહેતા દાતાશ્રી ચંદ્રેશભાઇ ધીમાંકર તથા લંડન રહેતા દાતા શ્રી જગજીવનભાઇ ભારદીયા, એલ.પી.બદિયાણી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવેલા હતા જેમનો સન્માન સમારંભ યોજાયો હતો.

આ તકે નવનિયુકત થયેલા આંખના સર્જન ડો.મૃગેશભાઇ શાહને પણ આવકારાયા હતા.

માનવ સેવા સમિતિના તમામ હોદેદારો પ્રમુખશ્રી રાજુભાઇ મજીઠીયા, મંત્રી મનુભાઇ પાબારી, ખજાનચી જગદીશ ચાવડા વિ. ઉપસ્થિત રહ્યા હતા તથા ધીરેનભાઇ બદિયાણી, બીપીનભાઇ ગોકાણી, વિમલભાઇ સાયાણી વિ. પણ ઉપસ્થિત રહ્યા હતા.

(10:48 am IST)