Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જનહિતના કાર્યોમાં બેદરકારી રાખનાર દંડાશે

જુનાગઢ જિલ્લા પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ

જુનાગઢ, તા.૧૫: સરકાર પ્રજા માટે છે. સમાજના છેવાડાના લોકોનું ભલુ કરવુ એ આ સરકારની પ્રાથમિકતા છે. આથી જનહિતના કાર્યોમાં બેદરકારી રાખનાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે તેમ વાહન વ્યવહાર અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું.

જૂનાગઢ કલેકટર કચેરી ખાતે જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને ત્યારબાદ અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રભારીમંત્રીશ્રીએ કહ્યું કે, રસ્તાના નબળા કામ કરનાર એજન્સીઓ સામે કાર્યવાહી કરો અને આવી એજન્સીઓને બીજી વાર કામ ના મળે તેવી વ્યવસ્થા ઉભી કરો. સરકારી જમીનમાં દબાણ શું કામ થાય ? દબાણ થઇ જાય પછી દુર કરવા કાર્યવાહી કરવી એના કરતા દબાણ ન થાય તેવી વ્યવસ્થા ઉભી કરવા તેમણે સ્પષ્ટ તાકીદ કરી હતી.

પી.જી.વી.સી.એલ. દ્વારા એક જ સર્વે નંબરમાં ખેડુત વીજ કનેકશન શીફ્ટ કરવા માંગે તો તેને મંજુરી આપવી. સરકારની કચેરીમાં આવતા લોકો સાથેનો વ્યવહાર બદલો, લોકો તેમનાં કામ માટે આવે છે. તેને સારો જવાબ મળવો જોઇએ. સીવીલ હોસ્પીટલમાં સફાઇમાં તકેદારી રાખવા સાથે જૂનાગઢ શહેર અને અન્ય શહેરોમાં રખડતા પશુઓની સમસ્યાનો નીવેડો લાવવા જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ આપી હતી.

પ્રભારી મંત્રીશ્રીએ ભારપુર્વક કહ્યુ કે અધીકારીઓને સરકારે આપેલ સત્ત્।ાનો ઉપયોગ જનહિત માટે કરવાનો છે. લોકોનાં પ્રશ્નો ઉકેલવાના છે. એક બીજાને ખો આપવાની વૃત્તિ ત્યજવા તેમણે સ્પષ્ટપણે જણાવ્યુ હતુ.

બેઠકનો પ્રારંભે કલેકટર કચેરી, જિલ્લા પંચાયત,જિલ્લા પોલીસ, કોર્પોરેશન, વાસ્મો આર.ટી.ઓ, સહિતની કામગીરીનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે સંબંધિત અધિકારીઓએ મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, સાંસદશ્રી રાજેશભાઇ ચૂડાસમા, ધારાસભ્યશ્રી જવાહરભાઇ ચાવડા, ભારતીય જનતા પક્ષનાં જિલ્લા પ્રમુખશ્રી કિરીટભાઇ પટેલ, શહેર પ્રમુખશ્રી પૂનીતભાઇ શર્મા, જિલ્લા સહકારી બેંકનાં મેનેજીંગ ડીરેકટરશ્રી દિનેશભાઇ ખટારીયા, જિલ્લા કલેકટરશ્રી રચીત રાજ, જિલ્લા વીકાસ અધીકારીશ્રી મીરાંત પરીખ, મહાનગરપાલીકાનાં કમીશન શ્રી આર. એમ.  તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમ સેટ્ઠી, નાયબ વન સંરક્ષકશ્રી ધીરજ મિત્ત્।લ, એસ.કે.બેરવાલ, સહિત જિલ્લા કક્ષાનાં તમામ ઉચ્ચ અધીકારીઓ તેમજ પદાધિકારીઓ સાથેની બેઠકમાં તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતનાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(1:16 pm IST)