Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

મોરબી પાવર હાઉસ ખાતે પરંપરા મુજબ દુર્ગાષ્ટમી નિમિતે યજ્ઞ યોજાયો.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે આવેલા પાવર હાઉસ ખાતે ગરબી મંડળ આયોજીત મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજ્ઞના પ્રધાન આચાર્ય પદે મોરબીના  શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે તેમજ અધ્યક્ષ આચાર્ય પદે દિલીપભાઈ દવે શાસ્ત્રીજી ઉપસ્થિત રહી વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞ વિધિ વિધાન કરવામાં આવ્યું હતું. તેમજ યજમાન પદે રવિ રમેશભાઈ તથા જી.ઇ.બી.તમામ કર્મચારીઓ, અધિકારીઓ, સ્ટાફ કોલોની રહેવાસીઓ અને આસપાસના વિસ્તારના ભાવિક ભકતો દર્શનનો લાભ લીધો હતો

(12:52 pm IST)