Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

મોરબીના જલારામ મંદિરે સંસ્થાઓ દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાશે.

મોરબી : દશેરાના પાવન પર્વે મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ -મોરબી દ્વારા શસ્ત્ર પુજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા તા.૧૫-૧૦ શુક્રવારના રોજ દશેરાના પર્વ નિમિતે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શસ્ત્રપુજન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું છે
જે શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હિતેશભાઈ જાની, નિર્મિત કક્કડ, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળના પ્રભુભાઈ નકુમ, વસંતભાઈ પરમાર, ગોપાલભાઈ નકુમ, ઈશ્વરભાઈ કંઝારીયા સહીતના અગ્રણીઓએ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યુ છે.

(12:43 pm IST)