Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

માતાના મોતના ટેન્શનમાં બીલખાના માનસીક બીમાર યુવાનનો આપઘાત

લાંગોદ્રાની મહિલાનું એસીડ પીવાથી મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧પ  : માતાના મોતના ટેન્શનમાં બીલખાના માનસીક બીમાર યુવાને આપઘાત કરી લેતા તેના પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

જુનાગઢ તાલુકાના બીલખાના હડમતીયાવાસમાં રહેતા મહેશભાઇ લખમણભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦)ના માતાનું તાજેતરમાં મોત થયુ હતુ. જેના કારણે મહેશભાઇ ટેન્શનમાં માનસિક બીમાર થઇ ગયા હતા. ગઇકાલે સાંજના સમયે તેમણે ઝેરી દવા પી લેતા તેનું જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયુ હતુ.

મોત

માળીયાનાં ચોરવાડ પાસેના લાંગોદ્રા ગામના સીમમાં રહેતા જસુબેન ઉફે મુનીબેન રાજશી ભાદરકા (ઉ.વ.૩૭)નું એસીડ પી લેવાથી મોત થતાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

(12:10 pm IST)