Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામમાં આજે વિજયાદશમીના વિશેષ શણગાર દર્શન

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર :  બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળંગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનુ પ્રતિક શ્રદ્ધા કા દૂસરા નામ સાળંગપુરધામ  કે જ્યાં ધજા ફરકે છે સત ધર્મ ની ૅ એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર , સાળગપુર આયોજીત પરમ પૂજ્ય શાસ્ત્રીશ્રી હરીપરકાશદાસજી સ્વામીજી , કોઠારી સ્વામી પૂજ્ય શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી તથા પૂજારી સ્વામી શ્રી ડી , કે , સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરધામની પાવન ભૂમિમાં સત સેવાના ધર્મ કાર્યો ભકિતભાવ પૂર્વક થઈ રહયા છે આજરોજ વિજ્યાદસમી ના પાવન પર્વે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને ૅ વિજ્યાદસમી ના શણગાર દર્શન ૅ રાખેલ હતા અને શણગાર આરતી સવારે પરમ પૂજ્ય ગુરૂજી શ્રી પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામીજી (અથાણાંવારા) દ્વારા કરવામાં આવેલ હતી જે પ્રસંગે સહુ સંતો હાજર રહયા હતા.

(12:13 pm IST)