Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જોડિયામાં શ્રી ખોડિયાર માતાજી મંદિરે આઠમના ગરબાની રંગત જમાવતા ગાયક કલાકાર અલ્કેશભાઇ જાની

 વાંકાનેર : જોડિયાધામ ખાતે પરા વિસ્તારમાં સુતાર શેરીમાં આવેલ વર્ષો પુરાણું  આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર  ખાતે નવરાત્રીના પાવન પર્વે આઠમના રોજ રાત્રીના પ્રાચીન ગરબાની રંગત જામેલ હતી. જેમાં જોડિયાના ભજનના આરાધક ગાયક કલાકાર અલ્કેશભાઈ સોનીએ માતાજીના ગરબાની રંગત જમાવી હતી તેમજ મહેન્દ્રભાઈ, ભરતભાઈ ગણાત્રા, ખીમજીભાઈ પટેલ તેમજ હરિભાઈ લુહાર સહિતના ભાવિકોએ ગરબાની રંગત જમાવી હતી જોડિયામાં વર્ષો થયા શ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે ભારતીય બેઠકમાં બેસીને સહુ ભાવિક ભકતજનો માતાજીની આરાધના નવ દિવસ કરી માતાજીના ગરબા ગાય છે જે યાદી શ્રી ખોડિયાર માતાજી મંદિરના હરિભાઈ લુહાર તેમજ ભકતજન ભરતભાઈ ગણાત્રા, હિતેશ રાચ્છની યાદીમાં જણાવાયું છે. ઉપરોકત તસ્વીર ગરબાની રમઝટ બોલાવતા અલ્કેશભાઈ સોની તથા ભાવિકો નજરે પડે છે.

(11:28 am IST)