Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જોડિયાધામમાં આઇશ્રી ખોડિયાર માતાજી મંદિરે પ્રાચીન ગરબાની રમઝટ

 વાંકાનેર : જોડિયાધામમાં પરા વિસ્‍તારમાં સુતારશેરીમાં આવેલ વર્ષો જૂનું આઇશ્રી ખોડિયાર માતાજીનુ મંદિર આવેલું છે જયાં વર્ષોથી ભારતીય પરંપરા અનુસાર આ દિવ્‍ય પાવન ભૂમિમાં નવરાત્રીના પાવન પર્વે માતાજીની આરાધના કરીને માતાજીના પ્રાચીન ગરબા ભાવિક, ભક્‍તજનો શ્રદ્ધા પૂર્વક ગાય છે ગઈકાલે મંગળવારના રોજ શ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે જોડિયાના અનન્‍ય ભક્‍તજન શ્રી વિનુભાઈ ચંદારાણા, શ્રી યોગેશભાઈ તન્ના, શ્રી મહેન્‍દ્રભાઈ, શ્રી ભરતભાઈ ગણાત્રા, શ્રી ખીમજીભાઈ પટેલ અને શ્રી હરિભાઈ લુહાર સહિત અન્‍ય ભક્‍તજનો એ માતાજી ના પ્રાચીન ગરબા ની રંગત જમાવી હતી શ્રી વિનુભાઈ ચંદારાણાએ ઉડીને ચડ્‍યો આકાશ ગરબો માંનો ધૂમે છે ,ઓચિંતિ આંગણામાં આવી અલબેલડી અંબાના સ્‍વાગતને શાશ કરૂં આવા પ્રાચીન ગરબાની રંગત જમાવેલ હતી.

 

(10:56 am IST)